મહામંડલેશ્વર ૧૦૦૮ મા કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં શિશુગૃહ-વૃધ્ધાશ્રમનો ઉદ્દઘાટન સમારોહ પણ યોજાશેમોરબી : મોરબીના બેલા અને ભરતનગર ગામ પાસે આવેલ મહામંડલેશ્વર ૧૦૦૮ માં કનકેશ્વરીદેવીના બિરાજમાન સ્થળ ખોખરા હનુમાન હરિહરધામમાં ૨૮થી તા. ૩૦ ડિસેમ્બર સુધીમાં સામાજિક અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજીને વેગ આપતા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખોખરા હનુમાન હરિહરધામમાં મહામંડલેશ્વર ૧૦૦૮ માં કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા અને અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન તેમજ શિશુગૃહ-વૃધ્ધાશ્રમનો ઉદ્દઘાટન સમારોહ પણ યોજાશે. આ કાર્યક્રમોની તાંડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ખોખરા હનુમાન હરિહર ધામમાં સદગુરુ કેશવાનંદ બાપુની ભજનભૂમિ, સીતારામ બાપુની સાધનાભૂમિ તેમજ મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીદેવીજીની પરમાર્થભૂમિ છે. આ પવિત્ર સ્થાન તીર્થધામ હોવાની સાથે પરમાર્થધામ પણ બની રહ્યું છે. જ્યાં અખંડ ભજન તથા ભોજનનો સમન્વય સધાઈ રહ્યો છે. એવા ખોખરા હનુમાન હરિહર ધામમાં માતા-પિતાથી વિખુટા પડી ગયેલા અસહાય બાળકોને આશ્રય તથા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સ્વસ્થ અને સંસ્કારમય જીવન પ્રાપ્ત થાય એવા હેતુથી સદગુરુ વાત્સલ્યવાટીકા એટલે શિશુગૃહ તથા સમાજના એવા વડલા કે જે કોઇને કોઈ કારણથી એકલા પડી ગયેલા છે, તેને વિના મૂલ્યે આશરો, પૌષ્ટિક ભોજન તથા સન્માનપૂર્વક જીવન મળી રહે એ માટે લગભગ બે કરોડના ખર્ચે વાનપ્રસ્થાશ્રમ એટલે વૃધ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે.તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૩, શનિવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે આ ભુવનનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવશે.જેમાં તા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ સમય રાત્રે ૯:૩૦ કલાકે ભજન સંધ્યામાં પ્રખ્યાત કલાકારો કીર્તિદાન ગઢવી, ખુશાલીબેન બક્ષી તથા સાથી કલાકારો જમાવટ કરશે. તેમજ રાજ્ય કક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા અને અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન ઇસરોનો કાર્યક્રમ યોજાશે. ભોજન મહાપ્રસાદ તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ સમય બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. મહામંડલેશ્વર ૧૦૦૮ માઁ કનકેશ્વરીદેવીજીના સાનિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમોમાં સંતશિરોમણી શાન્તેશ્વરાનંદજી મહારાજ, સંત મુક્તાનંદ બાપુ - સભાપતિ, અગ્નિ અખાડા, કૈલાસ વિજચવર્ગીચજી - રાષ્ટ્રીય મહાસચિવ, ભાજપ, ઋષિકેશભાઈ પટેલ - કેબીનેટ મંત્રી આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ગુજરાત સરકાર, ભાનુબેન બાબરિયા - કેબીનેટ મંત્રીશ્રી, સામાજિક ન્યાય, મહિલા અને બાળવિકાસ, ગુજરાત સરકાર, પ્રફુલ્લભાઈ પાનસેરિયા - શિક્ષણ મંત્રી ગુજરાત સરકાર, મોહનભાઈ કુંડારિયા - સાંસદ, વિનોદભાઈ ચાવડા - સાંસદ, કેશરીદેવસિંહ ઝાલા -સાંસદ, રાજ્યસભા ડૉ. જેન્તિભાઈ ભાડેસીયા - પશ્ચિમ ક્ષેત્ર, સંઘચાલક, પબુભા માણેક - ધારાસભ્ય, દ્વારકા, હાર્દિકભાઈ પટેલ - ધારાસભ્ય, વિરમગામ, બ્રિજેશભાઈ મેરજા - પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર, અજયભાઈ લોરિયા- પૂર્વચેરમેન મોરબી જિલ્લા પંચાયત,, રણછોડભાઈ દલવાડી-પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ,, ભગીરથભાઈ દેસાઈ - સંપ વિચારક અને અગ્રણી, સ્વાધ્યાય મંડળ, જયંતિભાઈ કવાડિયા - પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, કાન્તિભાઈ અમૃતિયા - ધારાસભ્ય, મોરબી, દુર્લભજીભાઈ દેથરિયા - ધારાસભ્ય, ટંકારા, રમેશજી મેંદોલા - ધારાસભ્ય ઈન્દોર, મધ્યપ્રદેશ, જીતુભાઈ સોમાણી - ધારાસભ્ય વાંકાનેર, હંસાબેન પારેઘી- પ્રમુખ મોરબી જિલ્લા પંચાયત, કમળાબેન - ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ, લાખાભાઈ જારીયા - મોરબી શહેર ભાજપ પ્રમુખ, કાન્તિભાઈ ઉઘરેજા - સરપંચશ્રી, બેલા ગ્રામ પંચાયત, વિઠ્ઠલભાઈ પાંચોટિયા - સરપંચ, ભરતનગર ગ્રામ પંચાયત, વિનોદ રાવ - સચિવ પ્રાથિમક અને માધ્યમિક શિક્ષણ (ગુ.સ.), જી. ટી. પંડયા (IAS) - કલેક્ટર મોરબી, રાહુલ ત્રિપાઠી (IPS) - પોલિસ અધિક્ષક મોરબી, એન. કે. મુછાર - નિવાસી અધિક કલેક્ટર, મોરબી, ડી. ડી. જાડેજા જિલ્લા વિકાસ અધિકારી મોરબી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોને સફળ બનાવવા ખોખરા હનુમાનધામ સેવા સમિતિ બેલા-ભરતનગર, મોરબી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.